Shri Chintamani Parshvnath Shwetambar Jain Derasar is a jain temple located in Varanasi, Uttar Pradesh. The average rating of this place is 5.00 out of 5 stars based on 8 reviews. The street address of this place is Mehta Hospital, Ram Ghat, Ghasi Tola, Varanasi, Domari, Uttar Pradesh 221001, India. It is about 1.29 kilometers away from the Kashi railway station.
Manisha Deepak 46 months ago
Poojari was not there but his wife helped us. needed more to explore many people are not reaching there due to lack of information and difficult to reach there . Shortest way to go there is from Kal Bhairav and ask for valabh ram shaligram mehta hospital . I urge all Jain to take darshan there
MEGHA SHAH 34 months ago
Historical jain mandir where parshwanath bhagwan save snake couple. Must visit for all jain.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
રામઘાટ જિનાલય - વારાણસી
વારાણસીના રામઘાટ વિસ્તારમાં ઘણાં બધાં શિખરબંધી જૈન મંદિરો છે. જેમાંથી મોટા ભાગના હવે બંધ છે. આજ સુધી સેંકડો વર્ષ જૂની ઘણી મૂર્તિઓ આ મંદિરોની અંદર છે. આ જિન મંદિરો આખું વર્ષ બંધ રહે છે. રામઘાટ પર શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું મોટું જિનાલય આવેલું છે. એવું કહેવાય છે કે જિનાલય જે જગ્યાએ છે તે જગ્યાએ પાર્શ્વનાથ ભગવાને કમઠ તાપસને ઉપદેશ આપ્યો હતો.
દંતકથા પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને ( તે સમયે રાજકુમાર ) પુરુષો અને સ્ત્રીઓને પૂજાની વસ્તુઓ લઈ જતા જોયા. રાજકુમાર પાર્શ્વનાથને ખબર પડી કે કમઠ નામનો તાપસ ચારે બાજુ અગ્નિકુંડ પ્રગટાવીને કઠોર તપસ્યા કરે છે. રાજકુમાર પાર્શ્વનાથ કમઠની પાસે આવ્યા. ત્યાં અગ્નિકુંડમાં કાષ્ટના અંદરના ભાગે એક નાગ યુગલ બળી રહ્યું હતું તે રાજકુમાર પાર્શ્વનાથે અવધિજ્ઞાનથી જોયું. રાજકુમાર પાર્શ્વનાથે કમઠને કહ્યું કે " જે તપમાં દયા નથી તે તપથી સાધકનું આત્મહિત નથી હોતું. સમ્યક તપ જ સાચો તપ છે. હિંસાયુક્ત તપથી આત્મહિત નથી." કમઠે કહ્યું કે " રાજપુત્રો હાથી ઘોડા ખેલાવી જાણે. ધર્મ તો અમારા જેવા મુનિરાજો જ જાણે. મારી તપસ્યામાં કોઈ હિંસા હોય તો બતાવો." પાર્શ્વકુમારે સેવકને આજ્ઞા કરી કે આ અગ્નિકુંડમાંથી આ કાષ્ટને કાઢો અને સાવધાનીથી ફાડો. લાકડાંને ચીરતાં તેમાંથી એક નાગ યુગલ બહાર આવ્યું. એ નાગ યુગલને તરત જ નવકાર સંભળાવ્યો. એ નાગ યુગલ મરીને ધરનેન્દ્ર દેવ દેવી તરીકે જન્મ્યા.
આ જિનાલયમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક છે. શામળાજી પાર્શ્વનાથ , સુપાર્શ્વનાથ ભગવાન અને બીજી જિન પ્રતિમા છે. ગૌતમ સ્વામી , પદ્માવતી માતા , અતીત , વર્તમાન અને અનાગત ચોવીસી અને વીશ વિહારમાન ભગવાનનો પટ્ટ છે. નેમિનાથ ભગવાનના જાનનો પટ્ટ દર્શનીય છે. આ જિનાલય ભેલુપુર તીર્થથી 5 કિ.મી. દૂર આવેલું છે. જ્યારે ભેલુપુર જાત્રા કરવા જાવો ત્યારે આ જિનાલયના દર્શન જરૂરથી કરજો.
સરનામું
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય
મહેતા હોસ્પિટલ
રામઘાટ
વારાણસી
ઉત્તર પ્રદેશ 221001